આ એક વ્યક્તિના લીધે મોરબી નુ એક ગામ છેલ્લા 20 વર્ષો થી વ્યસન મુક્ત છે. તેવો પણ એક વાર પાન પાર્લર…
ગુજરાતમાં મોટે ભાગના વ્યક્તિઓને વ્યસન હોય છે, ત્યારે આજે આપણે એક એવા ગામની વાત કરવા ની છે, જ્યા કોઈને કોઈપણ જાતનું વ્યસન જ નથી કરતાં. આ ગામ એટલે મોરબી જિલ્લાનું ભરતનગર ગામ છે! આ ગામ બિલકુલ વ્યસનમુક્ત છે અને મહત્વની વાત એ છે કે, અહીંયા છેલ્લાં 20 વર્ષથી અહીં કોઈ તમાકુ ખાતું નથી કે ગામની કોઈ જ દુકાન કે પાનના ગલ્લામાં તમાકુ મળતું પણ નથી. આ આખી સફળતાનો પાછળ મુકેશભાઈ દવેનો હાથ છે. ચાલો અમે આપને આ ભાઈ વિશે અને ગામ વિશે જણાવીએ.
મોરબી જિલ્લાના ભરતનગર ગામમા રહેતા અને પાણીપુરવઠા વિભાગના કર્મચારી મુકેશભાઈ દવે આજથી 25 વર્ષ પહેલા હાઈવે પર એક હોટલ ચલાવતા હતા અને સાથે પાન-ગુટખાનો વેપાર પણ કરતા હતા. આ હોટેલબાજુમાં એક સ્કુલ હતી જેના વિદ્યાર્થી તેમની પાસે ગુટખા-પાન મસાલા ખાવા આવતા હતા. આ જોઈ મુકેશભાઈને અચંબો લાગ્યો કે, આ વિદ્યાર્થીઓના માતા-પિતાને ખબર જ નહી હોય કે, આ લોકો ગુટખા ખાય છે પોતાના બાળકોની જિંદગી ખરાબ થાય છે. આવતીકાલની આ યુવાપેઢી તો નરકના માર્ગે જઈ રહી છે. બસ એ જ દિવસથી મુકેશભાઈએ બંધ કર્યું ગુટખા-તમાકુ વેચવાનું. પરંતુ ગામની અન્ય દુકાનોમાંબાળકો ત્યાં જઈને ખરીદવા લાગ્યાં.
જેથી મુકેશભાઈએ ગામની જેટલી દુકાનમાં ગુટખા મળતી હતી તે દરેક દુકાનદારને એક-એક કરી મળ્યા અને પુછ્યું કે, ગુટખા વહેંચી તમને જેટલી પણ કમાણી થાય છે તેના પૈસા હું તમને આપીશ પણ તમે આ ગુટખા વહેંચવાનું બંધ કરી દો ને લોકોએ પૈસા લીધા વગર જ આ કામ બંધ કર્યું અને 25 વર્ષ પહેલા ગુટખા બંધ કરાવવાનું કામ કર્યુ હતુ અને એનું પરિણામ આવ્યું કે , આજે ગામની યુવાપેઢીમાં કોઈને પણ વ્યસન નથી અને ગામમાં એક પણ દુકાને ગુટખા પણ મળતી નથી.
આ ગામમાં એક નવી શરૂઆત કરી. આ ગામની બંધ પડેલી હાલતમાં વર્ષ 2006માં ગામમાં આ લાઈબ્રેરી ફરીથી શરૂ કરી. ત્યારે તેમની પાસે માત્ર 150 પુસ્તકો હતા. વર્ષમાં એક પણ દિવસ લાઈબ્રેરીને બંધ રાખવામાં આવતી નથી.મુકેશભાઈ લાઈબ્રેરીના નિભાવ ખર્ચ માટે 150 જેટલા છાપા મગાવે છે અને ગામમાં વહેંચે છે. ગામના દરેક ગ્રાહક પાસેથી વાર્ષિક 50 રૂપિયા ફી લેવામાં આવે છે. જેમાથી વર્ષના 35 હજાર રૂપિયા જેવી આવક થાય છે. આ પૈસામાંથી તેઓ ભૂજ જઈ સહજાનંદ ડેવલોપમેન્ટમાંથી પુસ્તકો ખરીદે છે. તેઓ 50 ટકાની કિંમતે પુસ્તકો આપે છે. એટલે દર વર્ષે લાઈબ્રેરીમાં 70 હજારના પુસ્તકો ઉમેરવામાં આવે છે.
અત્યારે લાઈબ્રેરીમાં 7500 પુસ્તકો છે. જેમાં દરેક પ્રકારના પુસ્તકોનો સમાવેશ થાય છે જેમ કે, ધાર્મિક, શિક્ષણ, લવ સ્ટોરી, વૈજ્ઞાનિક, નવલકથા અને આધ્યાત્મિક વગેરે. આ બધા પુસ્તકો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષામાં ઉપલબ્ધ છે.આ સદ્દકાર્યોની સાથે મુકેશ ભાઇ કર્મકાંડ પણ કરે છે અને તેમાંથી જે આવક મળે તેના 30 થી 40 ટકા આવકનો ભાગ લાઈબ્રેરી અને શિક્ષણ માટે પણ વપરાશ કરે છે. આ બધા પૈસામાંથી શિક્ષણ માટે 12 લાખના ટેબલેટ લીધા છે. દર વર્ષે ગામમાં નવપરણિત નવવધુ આવે તેમાંથી M.A.B.ed કરેલી દિકરીને ગામની શાળામાં પેરાટિચર તરીકે નોકરીએ રાખવામાં આવે અને તેને માસિક 15 હજાર રૂપિયા પગાર પણ આપવામાં આવે છે.
તેનો પગાર ગામમાંથી ઉઘરાવવામાં આવે છે. સાથે જ દર વર્ષે ગામમાં વિદ્યાર્થીઓ માટે ઈનામ વિતરણનું પણ કામ કરવામાં આવે છે. ગામની સરકારી પ્રાથમિક શાળાને લાઈબ્રેરી તરફથી 12 લાખના ટેબલેટ લેવામાં આવ્યા છે અને દાતાઓના સહયોગથી સ્માર્ટકલાસ પણ તૈયાર કર્યા છે. શિક્ષકોની નિષ્ઠાપૂર્વકની કામગીરીને કારણે ગામના તમામ બાળકો આજે સરકારી શાળામાં જ અભ્યાસ કરે છે.ખરેખએ મુકેશ ભાઈ સમાજ સેવક તરીકે આ ગામને ગોકુડિયું ગામ બનાવ્યું છે, તેમજ તેઓ બસ આવી જ રીતે જીવનના અંત સુધી સેવા કાર્યકરતા રહેશે.