EntertainmentGujaratIndia

ગુજરાત ત્રણ પ્રસિદ્ધ મંદિર સોંમનાથ, શામળાજી, અંબાજીનું નિર્માણ કરનાર આ દાદા કોણ છે, જાણો!

કંઈ પણ વસ્તુના નિર્માણ પાછળ કોઈ વ્યક્તિનો હાથ હોય છે. આજે આપણે અંબાજી, સોમનાથ, શામળાજીનાં જે મંદિરોને નિહાળી રહ્યા છે, તેની પાછળ એક દાદાનો હાથ છે. આજે આપણે આ દાદા વિશે જાણીશું. ખરેખર દાદા દ્વારા ડિઝાઇન કરેલ મંદિરો આજે દેશ વિદેશમાં આકર્ષણનું કેન્દ્ર છે. ભવિષ્યમાં ભારતની આસ્થાનું કેન્દ્ર અને હિન્દૂ લોકોની જીતનું પ્રતીક સમાન અયોધ્યા મંદિર ની પ્રતિકૃતિ આ દાદા બનાવેલ છે. ચાલો અમે આપને જણાવીએ કે આ દાદા કોણ છે?

ગુજરાતનાં આ ત્રણ પ્રસિદ્ધ મંદિરો અને એ સિવાય ગુજરાત અને ગુજરાત બહારનાં અનેક જાણીતા મંદિરો બનાવવા પાછળ એક જ માણસનું દિમાગ હતું. એ કલાત્મક કારીગર એટલે પ્રભાશંકર ઓઘડભાઇ સોમપુરા!પ્રભાશંકર સોમપુરાની ગણતરી આધુનિક ભારતના શ્રેષ્ઠ આર્કિટેક્ચરમાં થાય છે. ૧૮૯૬માં પાલિતાણામાં તેમનો જન્મ થયો. સોમપુરા બ્રાહ્મણોનો સદીઓથી સ્થાપત્યનાં બાંધકામ ક્ષેત્રેમહત્વનું યોગદાન છે

આકલા તેમને વારસામાં જ મળી છે, કારણ કે પ્રભાશંકર દાદાના પરિવારનો વ્યવસાય પણ શિલ્પકળાનો જ હતો. દાદા સાત ચોપડી સુધી તો માંડ ભણ્યા અને થોડોક અભ્યાસ સંસ્કૃતનો કર્યો. બસ પછી બાપ-દાદાના ધંધામાં લાગી ગયા! જાતમહેનતથી એટલું જ્ઞાન ભેગું કર્યું કે કોઈ અડધી જિંદગી ભણેલા આર્કિટેક્ચરને પણ આંટી જાય! આગળ જતા તેમણે જાતે શિલ્પકળા વિશેના ૧૪ ગ્રંથો પ્રગટ કર્યા.

સોમનાથ મંદિર એટલે વિનાશ પર વિજયનું પ્રતીક!આઝાદી બાદ સરદાર પટેલ, કનૈયાલાલ મુનશી અને જામનગરના મહારાજ જેવા મહાનુભાવોએ મંદિરને ફરીવાર ઊભું કરવાનું નક્કી કર્યું.સોમનાથ મંદિરની ડિઝાઇન અને બાંધકામનું કામ એ સમયના વિખ્યાત સ્થપતિ પ્રભાશંકર સોમપુરાને સોંપાયું. દાદાએ કામ માથે લીધું. સોલંકી(મારૂ ગુર્જર) શૈલીમાં મંદિર બાંધવામાં આવ્યું. એ વખતે ૫૦ લાખના ખર્ચે મંદિરનું બાંધકામ પૂર્ણ થયું.

પ્રભાશંકર સોમપુરાએ જ બાંધેલ છે. તદ્દોપરાંત, મથુરામાં આવેલ ભગવાન અને કૃષ્ણનું મંદિર અને દિલ્હીનું રામ મંદિર પણ તેમનાં જ દિમાગનું કામ છે.આજે પ્રભાશંકર દાદાનો પરિવાર પણ આ જ કાર્ય સાથે જોડાયેલો છે.અંબાજી મંદિરનાં પટાંગણમાં આવેલ અદ્ભુત ‘શક્તિ દ્વાર’ તેમના વંશજોએ જ બનાવેલ છે. એવું કહેવાય છે, કે અયોધ્યાનું રામ મંદિર પ્રભાશંકર દાદાનો પરિવાર જ બાંધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *