લિજ્જત પાપડ ના સંસ્થાપક જસવંતી બહેને આવી રીતે શરુ કર્યો હતો પોતાનો આ વ્યવસાય જાણીને તમે પણ……
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવીએ કુદરતની અનમોલ રચના છે. માનવી પોતે જે ધારે તે તમામ વસ્તુ મેળવી શકે છે. પરંતુ આ માટે તેણે સતત મહેનત કરવી જરૂરી છે કહેવાઈ છે કે મહેનતા કરનાર વ્યક્તિને કોઈ પણ વસ્તુ મેળવવી મુશ્કેલ નથી. મેહનત કરનાર ને ઉમર, ભણતર, પૈસો, કે અન્ય કોઈ પણ પરિબળો રોકી શકતા નથી. બસ વ્યક્તિએ પોતાની ઈચ્છા અને સપનાઓ પુરા કરવા માટે યોગ્ય મહેનત કરેલી હોવી જોઈએ.
તેમાં પણ આપણી ગુજરાતી માં કહેવત છે કે “નિશાન ચૂક માફ છે પણ નહિ માફ નીચું નિશાન” એટલેકે તમાર લક્ષો ઉચા રાખો અને તેને પામવા મહેનત કરવા લાગો જો તમે તમારા ધરેલા લક્ષાંક સુધી નહિ પહોચી શકો તોબીજા ઉચા લક્ષ સુધી ટો જરૂર પહોચી જાસો. પરંતુ આપણે સૌ જાણીએ છીએ તેમ મહેનત કરવાવાળા લોકો પોતાના તમામ લક્ષાકો આસાનીથી મેળવી લે છે.
આજે આપણે અહી એક એવાજ બનાવ વિશે વાત કરવાની છે કે જ્યાં એક મહિલા કે જેઓ પોતે સાવ ઓછો અભ્યાસ કર્યો હોવા છતાં પણ આજે સફળતા ના શિખરો શર કર્યા છે. તેમની મહેનત ના કારણે તેમને ઓછુ ભણતર કે તેમની ઉમર નડી નહિ આને તેમના જ પરિશ્રમના કારણે આપણને લિજ્જત જેવા સ્વાડીસ્ત પાપડ નો લાભ મળ્યો છે. આપડે અહી લિજ્જત પાપડ ના સંસ્થાપક એવા જસવંતી બહેન વિશે વાત કરવાની છે.
મિત્રો જો વાત તમના જન્મ અને બાળપણ અંગે કરીએ તો તેમનો જન્મ મહારષ્ટ્ર ના ખપોલી નામના ગામમાં થયો હતો. તેઓ મૂળ ગુજરાત ના છે. તેઓ પોતે પાંચ ભાઈઓ અને બહેનો છે. તેઓ એવા સમય માં જન્મયા હતા જે જયારે મહિલાઓના શિક્ષણ ને વધુ મહત્વ આપવામાં આવતું ન હતું. જેના કારણે તેઓ માત્ર બેજ ધોરણ સુધી આભ્યાસ કરી શક્યા હતા.
તેમના લગ્ન માત્ર ૧૭ વરસની ઉમરમાં કરી દેવાયા હતા. લગ્ન બાદ તેમનું જીવન પોતાના પરિવાર અને પોતાન ત્રણ સંતાનને સાચવવામાં વીતતું હતું. તેવામાં જયારે સંતાનો શાળાએ જવાનું શરુ કર્યું ત્યારે તેમની પાસે બપોરના સમય માં થોડો સમય વધતો હતો. જેના કારણે તેમણે અને તેમની આસ પડોસ ની બહેનોએ આ ખાલી સમય નો યોગ્ય ઉપયોગ કરવાનું વિચારયુ.
આ બધી બહેનો પોતે ઓછુ ભણેલી હતી જેના કારણે તે લોકોએ અડદ ના પાપડ બનાવવાનું વિચાર્યું. અને પોતાનો પહેલો પાપડ તે સમય ના નામદાર વ્યક્તિ એવા પુરષોતમ દતાણી બાપાને ચખાડ્યો. ત્યાર બાદ તેમના જણાવ્યા પ્રમાણે પાપડ નું પેકિંગથી લઈને પોતાના ગૃહ ઉદ્યોગની નોધણી અંગેની તમામ બાબતો કરી.
હાલ ૯૩ વર્ષની ઉંમરે પણ જસવંતી બહેન નો ઉત્સાહ જોઈને યુવાન લોકો ને પણ શરમ લાગી જાઈ તેમ છે. જસવંતી બહેને લીજ્જત પાપડ નો પાયો આજથી લગભગ ૬૬ વર્ષ પહેલા નાખ્યો હતો. જસવંતી બહેન પોતે સાદું જીવન જીવે છે તેમણે આજ સુધી પોતાના પગમાં ચપલનથી પહેર્યા. આજે પણ તેઓ એક જગ્યાએ થી બીજી જગ્યાએ જાવા માટે ટ્રેનનો ઉપયોગ કરે છે. દરેક સ્ત્રીઓ પોતે આત્મ નિર્ભર બંને તેવા હેતુથી આ ગૃહ ઉદ્યોગની પાપડ બનાવવા અંગે ની કામગીરી અનેક વિસ્તારોમાં થાય છે.
આટલા વર્ષોથી પાપડ નો એક સરખો સ્વાદ જાળવી રાખવાનું રહસ્ય બા પોતાની પાપડ બનાવવાની બનાવટ ને ગણાવે છે. તેઓ જે પણ વિસ્તાર માં પોતાની નવી ઉત્પાદ કામગીરી શરુ કરે તે તમામ વિસ્તારોમાં મહિલાઓને પોતે પ્રસિક્ષણ આપવા માટે બે થી ત્રણ મહિના જાય છે. આમ આટલી ઉમરે પણ તેઓ પોતાની બ્રાન્ડનું નામ ટકાવવા માટે અથાક મહેનત કરે છે. તેઓ જણાવે છેકે કયારે પણ હારથી ડરવું નહિ પરંતુ વિનમ્ર બની આગળ વધતા રહેવું.