EntertainmentIndia

સાચા સંત કેવા હોય ??? રાજા એ આપેલી શાલ મસ્તારામ બાપા એ કુતરા ને ઓઢાડી કારણ કે

સંતનો સંગ થાય તો આપણો ભવ સુધરી જાય છે. આપણી સૌરાષ્ટ્રની ધરા પર અનેક એવા સંતો મહંતો થઈ ગયા જેમણે પોતાના નિર્મલ અને સેવભાવ અને સદાચારનાં ભાવ થી અનંત જીવોનું કલ્યાણ કર્યું છે. સમયની વિકટ પરિસ્થિતિમાં સાચા સંતો નો સંગ જીવનના અનેક દુઃખો ને દૂર કરે છે અમે આપણું જીવન સુધરી જાય છે. સાચા સંત કેવા હોય છે તેનું આજે આપણે ઉત્તમ ઉદાહરણ જાણીશું.

આ વાત છે ભાવનગરમાં એક મહાન સંત હતા મસ્તરામ બાપા.સંત એટલે સંસારની તમામ મોહ માયાને નેવે મૂકીને ભગવાનની મૂર્તિમાં લિન થઈને મનુષ્ય જાતિને ભગવાનની ભક્તિમાં લીન કરવા ત્યાગ અને તપસ્યાની સાક્ષાત મૂર્તિ હતા મસંતરામ બાપા ભગવાનની યાદમાં સદા મસ્ત રહેતા હતા તેથી જ ભક્તો તેમને મસ્તરામ બાપુ કહેતા હતા

તેઓ અનેક શ્રદ્ધાળુઓને બીજાની સેવા કરવા અને જરૂરિયાતમંદોની સહાયતા કરવા પ્રેરણા દેતા રહેતા હતા. તે પોતાના શિષ્યોને અવારનવાર જણાવતા હતા કે પરોપકાર અને સેવા સાથે મોટો કોઈ ધર્મ નથી. એક દિવસની વાત છે. શિયાળાની કળકતી ટાઢ પડતી હતી. મસ્તરામ બાપા પોતાના આશ્રમની બહાર એક ખુલી જગ્યાએ સુતા હતા. તેમના શિષ્ય આસપાસ બેઠાં હતા.

ભાવનગરના રાજા ઘોડાગાડીમાં ત્યાંથી પસાર થતાં હતા. રાજાની નજર સૂતેલા મસ્તરામ બાપા પર પડી. રાજાએ જોયું કે બાપાના શરીર પર ગરમ કપડાં નથી.રાજાઓ પોતાની કીમતી શાલ તેમને ઓઢાળી દીધી અને ચુપચાપ આગળ વધી ગયા. થોડી વાર પછી બાપાની આંખ ખુલીસ તેમણે જોયું કે તેમના શરીર પર એક શાલ હતી.

શિષ્યોએ જણાવ્યું કે રાજા ખુદ તેમને શાલ ઓઢાળી ગયા છે. એ જાણી બાપા બોલ્યા કે સાધુને શાલનું શું કામ ? મારું શરીર તો ઠંડી સહન કરવાનું આદી થઈ ચૂક્યું છે. આ શાલ કોઈને ઠંડીથી બચાવવાના કામમાં આવી જોઈએ.

બાબા ત્યાંથી ઉઠ્યાં અને પોતાના ભક્તોની સાથે આગળ ચાલી નીકળ્યાં. તે હજી થોડે દૂર જ ગયા હતા ત્યાં તેમણે એક કૂતરાને ઠંડીથી થરથરતા જોયો અને કૂતરાને પોતાની કિંમતી શાલ ઓઢાડી દીધી આ જોઈને ભક્તો એ તેમને પૂછ્યું. બાપા રાજાની આપેલી તે કીમતી શાલ તમે કૂતરાને ઓઢાળી દીધી ? આ સાંભળી બાપા હસી પડ્યા. તેની નજરમાં અંતર નથી. તમામ જીવ મારા સંતાન છે તેથી દુઃ પણ દૂર કરી શકો.

ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે, સૃષ્ટિના દરેક કણ કણ અને દરેક જીવોમાં મારો વાસ છે. મનુષ્ય દરેક જીવો પ્રત્યે આદર અને સેવાભાવ રાખ્યો છે અને સાચા સંત એજ છે જે પોતાનું નહિ પણ બીજાનું વિચારે કરણ કે તેને સંસારની તમામ મોહ માયા છોડીને ભગવાનના માર્ગે ચાલી નિકળા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *